Sunday, September 15, 2013

નવરાત્રી

નવરાત્રી , નવારાત્રી, નવરાથ્રી(સંસ્કૃત, હિન્દી, મરાઠી, અને નેપાલી ભાષામાં: नवरात्रि, બંગાળીમાં: নবরাত্রি, ગુજરાતી: નવરાત્રી, કન્નડા:ನವರಾತ್ರಿ, તેલગુ : దుర్గా నవరాత్రులు , મલયાલમ: നവരാത്രി, તમિલ: நவராத்திரி) એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે. સંસ્કૃતમાં નવારાત્રી - નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

મહત્વ

આબોહવામાં વસંત અને પાનખરની જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર અધારીત કેલેન્ડરના પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ [ઊર્જા કે શક્તિ]ના સ્વરૂપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે 'દસ દિવસ', જે બોલચાલની ભાષામાં દશહેરા તરીકે પ્રખ્યાત છે. નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે, જેને વિજયાદશમી કહેવાય છે, જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે, આ દસ દિવસોમાં, માતા મહિષાસુર-મર્દીની (દુર્ગા)ના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે.

નવરાત્રીની પરંપરાઓ


તમિલનાડુના, કોઇમ્બતુરમાં ભજન
પશ્ચિમ બંગાળમાં ભક્તો દ્વારા નવરાત્રી અને દુર્ગા પૂજામાં રોશનીના દીવાથી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી છે. આમાં, પુરતશી મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાલમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
1. વસંત નવરાત્રી: બસંત નવરાત્રી, જેને વસંત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામા નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. ગુપ્ત નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન અનુસરવામાં આવે છે.
3. શરણ નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી અશ્વિન મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબર)ના સમયે થાય છે માટે.
4. પોશ્ય નવરાત્રી: પોશ્ય નવરાત્રી પોશ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પોશ્ય નવરાત્રી પોશ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરવામાં આવે છે.
5. માઘ નવરાત્રી: માઘ નવરાત્રી,ને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, માઘ (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરાય છે.

વસંત નવરાત્રી

વસંત ઋતુ (ઉનાળાની શરૂઆત) (માર્ચ-એપ્રિલ) દરમિયાન આ ઉત્સવની ઉજવણી થાય છે. તેને ચૈત્ર નવરાત્રી પણ કહેવાય છે, કારણકે કે ચંદ્રના ચૈત્ર માસમાં આ ઉત્સવ આવે છે.

વસંત નવરાત્રીની પાછળ તેની એક મૂળ વાર્તા રહેલી છે

કેટલાય સમય પહેલા, રાજા ધ્રુવસિંગ જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યારે એક સિંહે તેમને મારી નાખ્યા. રાજકુમાર સુદર્શનની તાજપોશીની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. રાણી લીલાવતીના પિતા, ઉજૈનના રાજા યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા, કલિંગના રાજા વીરસેન કોસલાને પોત પોતાના પૌત્ર માટે સલામત રાખવા માટે આતુર હતા. તેઓએ એકબીજા સાથે લડાઇ કરી. આ યુદ્ધમાં રાજા વીરસેનાની મૃત્યુ થઇ. મનોરમા રાજકુમાર સુદર્શન અને એક નપુંસકથી સાથે જંગલમાં ભાગી ગઇ. તેઓ ઋષિ ભરદ્વાજના આશ્રમમાં શરણ લીધી. કોસલાની રાજધાની અયોધ્યા ખાતે, વિજેતા રાજા યુદ્ધજીતના પૌત્ર શત્રુજીતને તાજ પહેરાવવામાં આવ્યો. પછી તે મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળી પડ્યો. ઋષિએ કહ્યું કે જેમણે તેમની રક્ષાની માંગ કરી છે તેવા લોકોને તે નહીં આપે. આ સાંભળીને યુદ્ઘજીત ક્રોધે ભરાયો. તે ઋષિ પર હુમલો કરવા ઇચ્છતો હતો. પણ, તેના મંત્રીએ ઋષિના કથન અંગેની હકીકત કહી. યુદ્ધજીત તેની રાજધાનીમાં પાછો ફરે છે.
રાજકુમાર સુદર્શન પર ભાગ્ય મહેરબાન થયું. એક દિવસ એક સંન્યાસીનો પુત્ર આવ્યો અને તે નપુંસકને તેના સંસ્કૃત નામ કલીબાના નામે બોલાવ્યો. રાજકુમારે તેનો પહેલા શબ્દ કલી પકડી તેનું કલીમ તરીકે ઉચ્ચારણ કરવીની શરૂ કર્યું. આ શબ્દ એક શક્તિશાળી, પવિત્ર મંત્ર હતો. તે દેવીમાતાનો બીજ અક્ષર (મૂળ શબ્દ) છે. આ શબ્દનું વારંવાર ઉચ્ચારણ કરવાથી તેને દેવીમાતાની કૃપા અને મગજની શાંતિ પ્રાપ્ત થઇ. દેવી તેની સામે પ્રગટ થયા, અને તેમણે સુદર્શનને આર્શીવાદ સાથે એક પવિત્ર શસ્ત્ર અને એક અક્ષય્ય ભાથો આપ્યો. ઋષિના આશ્રમથી પસાર થતા બનારસના રાજાના એક જાસૂસે, જ્યારે કુલીન રાજકુમાર સુદર્શનને જોયો ત્યારે તેમણે બનારસના રાજાની પુત્રી સશીકલા માટે આ રાજકુમારની ભલામણ કરી.
રાજકુમારીના સ્વયંવર તૈયારી કરવામાં આવી. સશીકલાએ ત્યારે સુદર્શનને પસંદ કર્યો. યથાસમયે તેમના લગ્ન થયા. રાજા યુદ્ઘજીત, કે આ સમારોહમાં હાજર હતા તેમણે બનારસના રાજા સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. દેવીએ સુદર્શન અને તેના સસરાની મદદ કરી. યુદ્ધજીતે તેણીનો ઉપહાસ ઉડાવ્યો, જેનાથી દેવીએ તે જ ક્ષણે યુદ્ધજીત અને તેના લશ્કરને રાખમાં ફેરવી દીધા.જેથી સુદર્શને તેની પત્ની અને સસરા સાથે દેવીની પ્રશંસા કરી. અને દેવી ખુબ જ ખુશ થઇ અને તેમણે આ લોકોને વસંત પંચમીના સમયે અન્ય હેતુ અને હવન સાથે તેણીની પૂજા કરવાનું કહ્યું. ત્યારબાદ તેણી અદ્રશ્ય થઇ ગઇ. રાજકુમાર સુદર્શન અને સશીકલા ઋષિ ભરદ્વાજના આશ્રમમાં પાછા ફર્યા. મહાન ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા અને સુદર્શનને કોસલાના રાજા તરીકે તાજપોશી કરી. સુદર્શન અને સશીકલા અને બનારસના રાજા સર્વથા દેવી માતાના હુકમ મુજબ વસંત નવરાત્રીના સમયે ભવ્ય રીતે દેવીની પૂજા કરતા રહ્યા. સુદર્શનના વંશજો, જેમ કે શ્રી રામ અને લક્ષણ પણ શરણ નવરાત્રી દરમિયાન દેવીની પૂજા કરી હતી અને તેણીની મદદ અને આશીર્વાદથી તે સીતાને પાછી મેળવી શક્યા હતા.

શરદ નવરાત્રી

અશ્વયુજા/અશ્વીન મહિનાના તેજ અડધા ચંદ્રના દસમાં દિવસના અંતની પહેલા તેની શરૂઆત થાય છે.નવરાત્રી ઉત્સવની ઉજવણી સુદ પખવાડીયામાં અશ્વિન માસમાં, પ્રતીપાદ થી નવમી સુધી એમ કરવામાં આવે તેવું ધૌમ્ય-વકના કહેવામાં આવ્યું હતું. 2010ના વર્ષમાં નવરાત્રી 8 ઓક્ટોબર 2010 શરૂ થાય છે અને 16 ઓક્ટોબર 2010ના રોજ, 17 ઓક્ટોબર 2010ની વિજયાદશમીની ઉજવણી સાથે આ ઉત્સવનો અંત કરવામાં આવે છે.

શક્તિના સ્વરૂપો

ઉત્તર પ્રદેશના બનારસમાં રજૂ કરેલા "દુર્ગાના નવ સ્વરૂપો"
નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે.
  • દુર્ગા, જે અપ્રાપ્ય છે તે
  • ભદ્રકાલી
  • અંબા કે જગદંબા, વિશ્વમાતા
  • અન્નપૂર્ણા, જે અનાજ (અન્ન)ને મોટી સંખ્યામાં (પાત્ર: નો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે) સંઘરીને રાખે છે તે.
  • સર્વમંગલા, જે બધાને (સર્વને) આનંદ (મંગલ) આપે છે તે.
  • ભૈરવી
  • ચંદ્રિકા કે ચંડી
  • લલિતા
  • ભવાની
  • મોકામ્બિકા

કર્મકાંડો

તમિલ નાડુમાં નવરાત્રી ગોલુમાં દુર્ગાના વિવિધ સ્વરૂપોને દર્શાવવામાં આવ્યા છે
નવરાત્રી ઉત્સવ દરમિયાન અમદાવાદમાં ગરબાનું નૃત્ય

તમિલ નાડુમાં સાત પગલામાં નવરાત્રી ગોલુને રજૂ કરવામાં આવ્યા છે

તમિલ નાડુમાં ભગવાન વિષ્ણુના દસ અવતારને નવરાત્રી ગોલુમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે
નવરાત્રીના પહેલા દિવસ (પ્રતિપદા)ની શરૂઆત ચંદ્રમાલના અશ્વીનના તેજ પખવાડિયામાં થાય છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં દર વર્ષે નવ રાત્રીઓ માટે આ ઉત્સવની ઉજવણી થાય છે, જોકે ચંદ્ર આધારિત કેલેન્ડની મુજબ હોવાને લીધે આ ઉત્સવની તારીખોમાં એક દિવસનો વધારો કે ઘટાડો થઇ શકે છે.ભારતમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં, તમામ ત્રણ નવરાત્રીઓમાં નવ દિવસોના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે. ચૈત્ર નવરાત્રીનો અંત રામ નવમીથી થાય છે અને શરદ નવરાત્રીનો અંત દુર્ગા પૂજા અને દશેરાથી થાય છે. ઉત્તરમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરા ખુબ જ પ્રખ્યાત છે.
પૂર્વ ભારતમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં નાટકીય રીતે ઉજવવામા આવે છે, જે તેઓ દુર્ગા પૂજા કહે છે. આ રાજ્યમાં તે ઉત્સવને વર્ષનો સૌથી મોટો ઉત્સવ કહેવાય છે. દુર્ગા દેવીની સુંદર નક્શીકામ કરેલી અને સજાવેલી માણસના કદની માટીની મૂર્તિઓ કે જેમાં તે મહિસાસૂર રાક્ષસનું વધ કરતી દર્શાવી હોય તેવી મૂર્તિઓની ગોઠવણ મંદિરો અને અન્ય જગ્યાઓ પર કરવામાં આવે છે. આ મૂર્તિઓની પૂજા પાંચ દિવસ માટે કરવામાં આવે છે, અને પાંચમાં દિવસે તેને પાણીમાં પધરાવવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ત્યાંના જાણીતા ગરબા અને દાંડિયા રાસના નૃત્યથી થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી, ગુજરાતમાં નવ દિવસોના આ નવરાત્રી ઉત્સવ માટે ગુજરાત સરકાર દ્વારા "નવરાત્રી ઉત્સવની ઉજવણી"ઓ કરવામાં આવે છે, ગુજરાત ભર અને વિદેશમાંથી પણ લોકો આ નવ દિવસના ઉત્સવોમાં ભાગ લેવા આવે છે. તે ભારતભર અને યુકે (UK) અને યુએસએ (USA)ની સાથે સાથ દુનિયાભરની ભારતીય સમુદાયોમાં લોકપ્રિય છે.
ગોવમાં, નવરાત્રી દરમિયાન જાત્રાની શરૂઆત થાય છે, આખા એન્ટ્રીઝ (ફોન્ડા)ને અતિશય સજાવવામાં આવે છે. સારશ્વત બ્રાહ્મણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવે છે અને મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે. મૂર્તિઓને કપડાં અને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે, તેમની પર ચંદનની પેસ્ટ, હળદર, કંકુ લગાવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ભક્તોને ખાસ દર્શન કરવા મળે છે અને મોટાભાગના ભક્તો કોલ પ્રસાદ માટે રાહ જોતા હોય છે, કારણકે આ પ્રસાદ ભગવાન અને દેવીને પણ આપવામાં આવતો હોવાથી તેનું ભક્તોમાં બહુ મહત્વ છે. દેવીઓની ઢાલની પૂજા ભક્તો કે પૂજારીઓ દ્વારા સતત ફૂલો ચઢાવીને કરવામાં આવે છે, આ ફૂલોને બદલવામાં નથી આવતા. ઉત્સવની છેલ્લી રાતે આ ફૂલોને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. સારશ્વત બ્રાહ્મણની દશા મૈત્રિકાસ (ગોવાની દસ બહેનો)ની મૂર્તિને મંદિરમાંથી બહાર નીકાળીને તેમની પૂજા કરવામાં આવે છે - આ દેવીઓના નામ આ મુજબ છે, શાન્તાદુર્ગા, આર્યદુર્ગા, મહાલાસા, કાત્યાયાની, મહામાયા, કામાક્ષી, વિજયાદુર્ગા, ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા. દક્ષિણ ભારતમાં, લોકો પગથિયા ગોઠવે છે અને તેની પર દેવી મૂતિઓ મૂકે છે. તેને ગોલુ તરીકે ઓળખવામાં આવે છે. ગોલુની લાક્ષણિક છબીઓને તમિલનાડુની શૈલીમાં ભારતના મહારાષ્ટ્રના નવી મુંબઇના નેરુલના ઘરમાં બાજુની જગ્યામાં રજૂ કરવામાં આવે છે.
કેરળમાં, શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો એટલે કે અષ્ઠમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે જેમાં ચોપડીઓની પૂજા કરવામાં આવે છે. અષ્ઠમીના દિવસે તેઓ પોતાના ઘર, પરંપરાગત બાળવાડીઓ કે મંદિરમાં ચોપડીઓને મૂકી તેની પૂજા કરે છે. વિજયાદશમી ના દિવસે, સરસ્વતીની પૂજા બાદ ચોપડીઓને ઔપચારિક રીતે વાંચન અને લખાણ માટે બહાર કાઢવામાં આવે છે. વિજયા દશમી ને બાળકોના લખવા કે વાંચવા માટેની નવી શરૂઆત તરીકે શુભ માનવામાં આવે છે, તેને વિદ્યાઆરંભ પણ કહેવાય છે. કેરળમાં આ દિવસે દસ હજાર બાળકો શબ્દની દુનિયામાં દાખલ થાય છે. આંધ્ર પ્રદેશના તેલગાંના રાજ્યમાં, નવ દિવસોના આ સમયમાં બથુકામ્મા નામનો ઉત્સવ લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે એક નવરાત્રી ઉત્સવ જેવા જ હોય છે.નવરાત્રી ત્રણ દિવસોના ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય.

પ્રથમ ત્રણ દિવસો

દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઇ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે.

બીજા ત્રણ દિવસો

માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે, સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે.

અંતિમ ત્રણ દિવસો

અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે, લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે, અને માટે જ નવ રાત્રીની પૂજા કરવામાં આવે છે.
બંગાળમાં આઠમાં દિવસને પરંપરાગતરીતે દુર્ગાઅષ્ઠમી તરીકે ઉજવાય છે જે બંગાળનો મોટો તહેવાર છે.
દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં, 9માં દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મહાનવરાત્રીના (નવ) દિવસે આયુધ પૂજા કરવામાં આવે છે, જેને બહું ઘૂમઘામથી ઉજવાય છે. શસ્ત્રો, ખેતીના સાધનો, તમામ પ્રકારના હથિયારો, મશીનો, સાધનસામગ્રી, વહાનોને સજાવવામાં આવે છે અને આ દિવસે દેવીની સાથે તેમની પણ પૂજા થાય છે. બીજા દિવસથી નવેસરથી કામને શરૂ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે 10માં દિવસને વિજયા દશમી તરીકે ઉજવાય છે. દક્ષિણ ભારતમાં અનેક શિક્ષકો/શાળાઓ બાળવાડીના બાળકોને આ દિવસથી ભણાવવાનું શરૂ કરે છે.
ઉત્તર ભારતમાં, વિજયા દશમીના દિવસે પાપ પર ભલાઇ (રામ)ની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમિયાન રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ, કુંભકરણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન કેટલાક દુર્ગામાતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થય અને સમૃદ્ધિને દેવી તરફ રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરક્ષણ અને પવિત્રતાનો છે, કોઇ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રીનો આ સમય, એક માંગલિક અને ધાર્મિક સમય છે.
ધાર્મિક વ્રતના આ સમયે, એક માટલાને ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘટાસ્થાપના પણ કહેવાય છે. નવ દિવસો માટે એક માટલામાં દીવો પ્રગટાવેલા રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વના પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અંખડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ, ઉ.દા તરીકે શ્રી દુર્ગાદેવી. નવરાત્રીના સમયે, વાતાવરણમાં શ્રી દુર્ગાદેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે.
ભારતીય સમાજોમાં નવરાત્રી મોટી સંખ્યામાં ઉજવાય છે. દેવી માતા 9 સ્વરૂપોમાં પ્રગટ થઇ અને એક એક દિવસે માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવીના નવ સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે. દેવી મહાત્મ્ય અને અન્ય લખાણમાં સંબોધેલા દેવતાઓ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવે છે.
આઠમા કે નવમાં દિવસ દરમિયાન, કન્યા પૂજામાં, તરણી ન બની હોય તેવી છોકરીઓની પૂજા કરવામાં આવે છે.

No comments:

Post a Comment